નૈરોબી થી સમાજ અગ્રણી ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ પી.જેરામ અને શ્રીમતી મધુબેન ગોવિંદભાઈ જેરામ અને સત્સંગ મંડળ ના અગ્રણી ઉર્મિલાબેન દુર્લભજી વાયા ભારતની મુલાકાતે પધારેલ તે સમયે મુંબઈમાં શ્રી મુંબઈ ઉપનગર પરજીયા સહકારી સોસાયટીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.



Enter Description


નૈરોબી થી સમાજ અગ્રણી ટ્રસ્ટી શ્રી ગોવિંદભાઈ પી.જેરામ અને શ્રીમતી મધુબેન ગોવિંદભાઈ જેરામ અને સત્સંગ મંડળ ના અગ્રણી ઉર્મિલાબેન દુર્લભજી વાયા ભારતની મુલાકાતે પધારેલ તે સમયે મુંબઈમાં શ્રી મુંબઈ ઉપનગર પરજીયા સહકારી સોસાયટીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સોની વાડીના પ્રમુખ શ્રી વિજયભાઈ હંસરાજભાઇ સતિકુવર સહિત સંસ્થાના પદાધિકારીઓ, સમાજ અગ્રણી શ્રી વલ્લભ ભાઈ ધોરડા, જયસુખભાઇ જિનાદ્રા, દિનેશભાઈ કે સતિકુંવરએ શ્રી ગોવિંદભાઇ નું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું, જ્યારે શ્રીમતી મધુબેન નું શાલ ઓઢાડીને નીલાબેન સોની અને બહેનોએ નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંગઠન વતી સ્વાગત કર્યું હતું. તે સાથે નીલાબેન દ્વારા સંસ્થા દ્વારા થતા કાર્યોની માહિતી આપવામાં આવી અને મધુબેને આવનારા સમયમાં સહુ સાથે મળીને મહિલા ઉત્કર્ષ અને સમાજના વિકાસ કાર્યો કરવાં માટેના વિચારો વ્યક્ત કર્યા હતા.